“ન રાખું આશા કદી કોઈ પાસ
પછી કરે કોણ મને નિરાશ ?”-રમણલાલ સોની
મારી જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર …
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા. આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતા એ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨).
પરદેશમાં આપણી માર્તુભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે..આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી.. તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માર્તુભાષા તદ્દન ન બોલાય એવું પણ બને!! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશ માં..એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખી એ કે આપણી માર્તુભાષા પરદેશમાં પણ અમર રહે..
આલ્ફ્રેડ હાઈસ્કુલ..ભાવનગર


વિશ્વદીપભાઈ,
આપનો બ્લોગ માણ્યો.ખૂબ જ મઝા આવી.ખૂબ સુંદર છે.આવી જ રીતે નવી નવી રચનાઓ આપતા રહેશો.આપને અમારી હાર્દિક શુભેચ્છાઓ.
Comment by Rajeshwari Shukla — February 28, 2008 @ 5:38 pm
This is really a superb efforts to attache the next generation with our roots and culture. I would be morethan happy if i can be alloed to write some good articles regarding culutre, children and parents’ generation gaps and many more.
I would be waiting for the warm and early reply.
Thanks
TRuly yours
Rajesh Tank
Comment by Raejsh Tank — July 17, 2008 @ 6:21 pm