આંખ નથી એથી હું આંધળી નથી,
આંધળી કહેશો નહી મને,
મારા કાન આંખ બની બધુંયે જુવે છે.
ઇશ્વરે આંખને બનાવ્યા છે કાન,
વ્હાલે આપી છે ઘણી મને શાન..આંધળી કહેશો નહી મને
દિવસ-રાત ને સ્પર્શિ શકું,
ચંદ્રના તેજ ને ભાળી શકું…આંધળી કહેશો નહી મને
‘મા’ ના ખોળામાં બેસી,
આખી દુનિયા નિહાળી શકું…આંધળી કહેશો નહી મને
લખીને સારી સૃષ્ટીને સંદેશો આપી શકું,
હજાર છે આંખો નિહાળવા મને..આંધળી કહેશો નહી મને
ખૂબ જ સુંદર રચના અને અભિવ્યક્તિ.
આજે વિશ્વ વિકલાંગ દિન પર એક સુંદર ગીત.
Comment by Dr.Hitesh Chauhan "Vishvas" — December 3, 2008 @ 7:40 am